List of prominent Aacharya and Muni Parmesthi who propagated Shree Mahaveer Bhagwan Parampara

શ્રી મહાવીર શાસનને જીવંત રાખનાર વિશિષ્ટતાધારી આચાર્ય / મુનીવર ભગવંતો

ક્ર. આચાર્યવરનું નામ સમય ગ્રંથ રચના વિશિષ્ટતા
ઇ.સ. વિક્રમ સં.
૦૧. શ્રી શિવાર્ય (શિવકોટિ) ઈ.સ.પૂર્વવર્તી (અનુમાનિત) વિ.સં.પૂર્વવર્તી ભગવતી આરાધના  
૦૨. શ્રી ગુણધરાચાર્ય ઈ.સ.ની પૂર્વ પ્રથમ શતાબ્દિ વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ કષાયપાહુડ
  • સમસ્ત અંગ-પૂર્વના એકદેશ જ્ઞાતા.
  • જ્ઞાનપ્રવાદ પૂર્વના દશમા વસ્તુ અધિકારના તૃતીય "પેજ્જદોસ પાહુડ"નું જ્ઞાન.
૦૩. શ્રી ધરસેનાચાર્ય ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દિ વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ ષટખંડાગમ અથવા સત્કર્મ પ્રાભૃતના પ્રણેતા / ઉપદેશદાતા.
  • સમસ્ત અંગ અને પુર્વના એકદેશ જ્ઞાતા.
  • અગ્રાયણી પુર્વના ચયન લબ્ધિ નામના વસ્તુ અધિકારના "મહાકર્મપ્રકૃતિ પાહુડ" નું જ્ઞાન.
૦૪. શ્રી પુષ્પદંતાચાર્ય ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દિ વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ ષટખંડાગમ / જીવસ્થાનના "સત્પ્રરુપણા અધિકાર" ના રચયિતા.  
૦૫. શ્રી ભૂતબલિ આચાર્ય ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દિ વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ ષટખંડાગમ ગ્રંથના બાકીના અન્ય સમસ્ત અધિકારોના રચયિતા. ષટ્ખંડ:
  • ૧.જીવસ્થાન
  • ૨.ક્ષુલ્લકબંધ
  • ૩.બંધસ્વામિત્ત્વ-વિચય
  • ૪.વેદનાખંડ
  • ૫.વર્ગણાખંડ
  • ૬.મહાબંધ
 
૦૬. શ્રી કુંદકુંદાચાર્ય (પદ્મનંદિ) ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દિ વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ ષટખંડાગમ ગ્રંથના બાકીના અન્ય સમસ્ત અધિકારોના રચયિતા.
  • શ્રી સીમંધરપ્રભુનાં પ્રત્યક્ષ દર્શન અને દિવ્યધ્વનિ શ્રવણ.
  • જમીનથી ચાર અંગુલ ઊંચે ચાલવાની ચારણૠદ્ધિ.
  • પાંચનામ :
    • ૧) આચાર્ય પદ્મનંદિ,
    • ૨) કુંદકુંદાચાર્ય,
    • ૩) એલાચાર્ય,
    • ૪) વક્રગ્રીવાચાર્ય,
    • ૫) ગૄદ્ધપિચ્છાચાર્ય.
૦૭. શ્રીઅર્હદબલિ (ગુપ્તિગુપ્ત) ઈ.સ.૩૮-૬૬ વીર.સં.૯૫-૧૨૩
  • વિશિષ્ટ મુનિ સંઘનાયક.
  • એક અંગના ધારક.
૦૮. શ્રી ઉમાસ્વામી આચાર્ય ઈ.સ.૪૪-૮૫ વિ.સં.૧૦૧-૧૪૨ "તત્વાર્થસૂત્ર" [મોક્ષશાસ્ત્ર]. [સંસ્કૃત ભાષામાં રચાયેલ જિનાગમનું પ્રથમ શાસ્ત્ર.]
  • શ્રી કુંદકુંદાચાર્ય દેવના શિષ્ય.
૦૯. શ્રી બપ્પદેવ આચાર્ય ઈ.સ.પ્રથમ શતાબ્દિ મધ્યભાગ વિ.સં. પ્રથમ શતાબ્દિ
  • વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ [ષટખંડાગમના પ્રથમ પાંચ ખંડ ઉપર ટીકા તથા છઠ્ઠા ખંડ ઉપર પાંચ હજાર આઠ શ્લોક પ્રમાણ ટીકા]
  • કષાયપાહુડ પર ટીકા. [૬૦,૦૦૦ શ્લોક પ્રમાણ.] હાલમાં અપ્રાપ્ય છે.
 
૧૦. શ્રી આર્યમંક્ષુ આચાર્ય ઈ.સ.૭૩-૧૨૩ વિ.સં.૧૩૦-૧૮૦
  • કષાયપાહુડ-જ્ઞાતા.
૧૧. શ્રી નાગહસ્તિ આચાર્ય ઈ.સ.૯૩-૧૬૨ વિ.સં.૧૫૦-૨૧૯  
  • કષાયપાહુડ-જ્ઞાતા.
૧૨. શ્રી જયસેનાચાર્ય [વસુબિંદુ] ઇ.સ. બીજી શતાબ્દિ. વિ.સ. બીજી શતાબ્દિ
  • "પ્રતિષ્ઠા પાઠ"
  • શ્રી કુંદકુંદાચાર્ય દેવના શિષ્ય.
૧૨. શ્રી જયસેનાચાર્ય [વસુબિંદુ] ઇ.સ. બીજી શતાબ્દિ. વિ.સ. બીજી શતાબ્દિ
  • "પ્રતિષ્ઠા પાઠ"
  • શ્રી કુંદકુંદાચાર્ય દેવના શિષ્ય.
૧૩. શ્રી સમન્તભદ્ર સ્વામી ઇ.સ. બીજી શતાબ્દિ. વિ.સં.૧૭૭-૨૪૨
  • રત્નકરંડ શ્રાવકાચાર
  • દેવાગમસ્તોત્ર [આપ્તમીમાંસા]
  • સ્વયંભૂ - સ્તોત્ર
  • યુકત્યનુશાસન
  • સ્તુતિ વિદ્યા [જિન શતક]
  • પ્રાકૄત વ્યાકરણ
  • તત્વાનુશાસન
  • પ્રમાણ પદાર્થ
  • કર્મપ્રાભૄત ટીકા
  • ગંધહસ્તિ મહાભાષ્ય - [અપ્રાપ્ય] [ષટખંડાગમ ઉપરની ટીકા]
૧૪. શ્રી કુમારસ્વામી (સ્વામી કાર્તિકેય) ઈ.સ.બીજી શતાબ્દિ-મધ્ય. વિ.સં.બીજી શતાબ્દિ અંત / ત્રીજી શતાબ્દિ પૂર્વાર્ધ.  
૧૫. શ્રી શામકુંડાચાર્ય ઈ.સ.ત્રીજી શતાબ્દિ ઉત્તરાર્ધ.
  • પદ્ધતિ ટીકા [૧૨૦૦૦ શ્લોક પ્રમાણ].
  • ષટ્ખંડાગમના ૧ થી ૫ ખંડ ઉપર તથા કષાયપાહુડની ટીકા.
  • ષટખંડાગમ અને કષાયપાહુડના જ્ઞાતા.
૧૬. શ્રી વિમલસૂરિ ઈ.સ. ચોથી શતાબ્દિ પૂર્વાર્ધ. વિ.સં. ચોથી શતાબ્દિ
  • પઉમચરિય [ પ્રાકૄતમાં પ્રથમાનુયોગનું શાસ્ત્ર]
 
૧૭. શ્રી શ્રીદત્તાચાર્ય ઈ.સ.ચોથી શતાબ્દિ મધ્ય ભાગ.
  • જલ્પનિર્ણય [ અપ્રાપ્ય]
 
૧૮. શ્રી દેવનંદિ આચાર્ય [પૂજ્યપાદ] ઈ.સ.પાંચમી શતાબ્દિ મધ્ય ભાગ. [અંદાજે ઈ.સ.૪૩૫-૪૭૫] [અંદાજે વિ.સં. ૪૯૨-૫૩૨]
  • સર્વાર્થસિદ્ધિ : તત્વાર્થસૂત્રની ટીકા
  • સમાધિતંત્ર [સમાધિ શતક]
  • ઈષ્ટોપદેશ.
  • જૈનેન્દ્ર વ્યાકરણ
  • વૈદ્યસાર સંગ્રહ -[વૈદિક વિષયનો ગ્રંથ]
  • સિદ્ધિપ્રિય સ્ત્રોત [ચતુર્વિંશતિ સ્તવ.]
  • જન્માભિષેક [શિલાલેખ નં.૪૦ શ્રવણબેલગોલ]
  • અર્હદ્‍ પ્રતિષ્ઠા લક્ષણ
  • દશભક્તિ
  • સારસંગ્રહ [ધવલમાં ઉલ્લેખ.]
  • પાણિનીનો અધુરો વ્યાકરણ ગ્રંથ પૂરો કર્યો.
  • શબ્દાવતાર- [પાણિનીના વ્યાકરણ પર ન્યાસ]
  • શાંતિઅષ્ટક સ્તોત્ર
  • વિદેહગમન
૧૯. શ્રી સર્વનંદી આચાર્ય ઈ.સ. પાંચમી શતાબ્દિના મધ્યમાં વિ.સં. છઠ્ઠી શતાબ્દિ પૂર્વ
  • લોકવિભાગ. [કરુણાનુયોગનું શાસ્ત્ર જેનું ભાષા પરિવર્તન શ્રી સિંહસૂર ઋષિએ કર્યું છે.
 
૨૦. શ્રી પાત્રકેસરી આચાર્ય ઈ.સ. ૪૯૪-૫૪૩ વિ.સં. ૫૦૧-૬૦૦
  • પાત્રકેસરી સ્તોત્ર [જિનેન્દ્ર ગુણ સંસ્તુતિ]
  • ત્રિલક્ષણકદર્શન-આ ગ્રંથનો આધાર આચાર્ય અકલંકદેવ, વિદ્યાનંદ અને અન્ય ઉત્તરવર્તી આચાર્યોના ગ્રંથમાં જોવા મળે છે.
 
૨૧. શ્રી યતિવૃષભ આચાર્ય ઈ.સ. છઠ્ઠી સદી ઈ.સ. છઠ્ઠી સદી - સાતમી પૂર્વાર્ધ
  • ચૂર્ણિસૂત્ર [કષાયપાહુડના આધારે રચિત.] તિલોયપણ્ણતિ[કરણાનુયોગ]
  • કર્મપ્રવાદ પૂર્વ [આઠમું પૂર્વ] ના જ્ઞાતા.
૨૨. શ્રી યોગીન્દુદેવ આચાર્ય ઈ.સ. ૫૫૧-૬૦૦ (આશરે) વિ.સં. ૬૦૮-૬૫૮ (આશરે)  
૨૩. શ્રી સિદ્ધસેન દિવાકર [દીક્ષાનામ : કુમુદચંદ્ર] ઈ.સ. છઠ્ઠી શતાબ્દિ વિ.સં.સાતમી શતાબ્દિ
૨૪. શ્રી ઉચ્ચારણાચાર્ય ઈ.સ.ની સાતમી શતાબ્દિ વિ.સં.ની સાતમી શતાબ્દિ
  • ઉચ્ચારણાવૃત્તિ [કષાયપાહુડનો આધાર લઈને રચાયેલ.]
 
૨૫. શ્રી માનતુંગસ્વામી ઈ.સ. સાતમી શતાબ્દિ વિ.સં. સાતમી શતાબ્દિ  
૨૬. શ્રી અકલંકદેવ ઈ.સ. ૬૨૦-૬૮૦ વિ.સં.૬૭૭-૭૩૭
  • તત્વાર્થવાર્તિક વૃત્તિ અથવા રાજવાર્તિક [તત્વાર્થસૂત્રની ટીકા]
  • અષ્ટશતી [આપ્તમીમાંસાની ટીકા]
  • લધીયસ્ત્રય
  • ન્યાય વિનિશ્ચય - સિદ્ધિવિનિશ્ચય
  • પ્રમાણ સંગ્રહ
 
૨૭. શ્રી રવિષેણાચાર્ય ઈ.સ. ૬૪૩-૬૮૩ વિ.સં.૭૦૦-૭૪૦
  • પદ્મપુરાણ (જૈન ધર્મનું રામાયણ) (રચના પૂર્ણ વિ.સં ૭૩૩)
 
૨૮. શ્રી જટાસિંહનંદિ ઈ.સ.૭ મી શતાબ્દિ ઉત્તરાર્ધ / ૮ મી પૂર્વાર્ધ, વિ.સં.૮ મી શતાબ્દિ
  • વરાંગ ચરિત.
 
૨૯. શ્રી જયસેનાચાર્ય -(૨) ઈ.સ. ૭૨૩-૭૭૩ વિ.સં.૭૮૦-૮૩૦
  • ષટખંડાગમના જ્ઞાતા જિનસેન સ્વામીના દાદા ગુરૂ
૩૦. શ્રી અપરાજિત (વિજય) ઈ.સ. આઠમી શતાબ્દિ વિ.સં. આઠમી શતાબ્દિના અંતે
  • વિજયોદયા - [ભગવતી આરાધનાની ટીકા.]
 
૩૧. શ્રી જિનસેનસ્વામી (૧) ઈ.સ. ૭૪૮-૮૧૮ વિ.સં.૮૦૫-૮૭૦
  • "હરિવંશ પુરાણ" (જૈન મહાભારથ-નેમિનાથ ચરિત્ર) (વર્ધમાનપુર – વઢવાણમાં રચના)
  • ગુરુ : શ્રી કીર્તિષેણ મુનિ.
૩૨. શ્રી આર્યનંદી આચાર્ય ઈ.સ. ૭૬૭-૭૯૮ વિ.સં. ૮૨૪-૮૫૫
  • તામિલપ્રદેશમાં શિવભક્તોના આંદોલન બાદ, જૈન સમાજના પુન: સંગઠનમાં મુખ્ય યોગદાન. મદુરૈ પાસે અનેક જગ્યાએ શિલાલેખોમાં નામ લખેલ છે.
૩૩. શ્રી વીરસેનસ્વામી ઈ.સ. ૭૭૦-૮૨૭ વિ.સં.૮૨૭-૮૮૪
  • "ધવલા".- (ષટખંડાગમ ટીકા) [૭૨,૦૦૦ શ્લોક પ્રમાણ]
  • "જય-ધવલા" [અપૂર્ણ. ૨૦,૦૦૦ શ્લોક-કષાય પ્રાભૃતની ટીકા.]
  • જ્યોતિષ, ગણિત, નિમિત્ત- આદિ વિષયોના જ્ઞાતા. શિક્ષાગુરુ: શ્રી એલાચાર્ય. (અનુમાનિત) દિક્ષાગુરુ: શ્રી આર્યનંદિ. (અનુમાનિત)
૩૪. શ્રી જયસેનાચાર્ય (૩) ઈ.સ. ૭૭૦-૮૨૭ વિ.સં.૮૨૭-૮૮૪
  • દિક્ષાગુરુ : શ્રી આર્યનંદિ.
  • ધવલા ટીકાના રચયિતા- શ્રી વીરસેનસ્વામીના ગુરુભાઈ.
૩૫. શ્રી વાદિભસિંહ સૂરી (૧) ઈ.સ.૭૭૦-૮૬૦ વિ.સં.૮૨૭-૯૧૭  
૩૬. શ્રી વિદ્યાનંદિ આચાર્ય ઈ.સ.૭૭૫-૮૪૦ વિ.સં.૮૩૨-૮૯૭
  • આપ્ત પરીક્ષા
  • પ્રમાણ પરીક્ષા
  • પત્ર પરીક્ષા
  • સત્યશાસન પરીક્ષા
  • શ્રીપુર- પાર્શ્વનાથ સ્તોત્ર
  • વિદ્યાનંદ મહોદય [અપ્રાપ્ય]
  • અષ્ટસહસ્ત્રી [આપ્તમીમાંસા ટીકા]
  • તર્ત્વાથ શ્લોક વાર્તિક [તત્વાર્થસૂત્ર પર ટીકા]
  • યુક્ત્યાનુશાસનાલંકાર [યુકત્યનુશાસન સ્તોત્રની ટીકા]
 
૩૭. શ્રી ઉદ્યોતનસૂરિ ઈ.સ.૮ મી શતાબ્દિ વિ.સં. ૮ મી શતાબ્દિ
  • કુવલયમાલા
 
૩૮. શ્રી મહાવીરાચાર્ય ઈ.સ. ૮૦૦-૮૩૦ વિ.સં.૮૫૭-૮૮૭
  • ગણિતસાર સંગ્રહ
૩૯. શ્રી જિનસેનાચાર્ય (૨) ઈ.સ. ૮૧૮-૮૭૮ વિ.સં.૮૭૫-૯૩૫
  • જયધવલા [કષાયપાહુડ-ટીકા] [ગુરુ શ્રી વીરસેન સ્વામીનો અધૂરો રહેલ ગ્રંથ-૪૦,૦૦૦ શ્લોક લખી પૂર્ણ કર્યો : કુલ શ્લોક: ૬૦,૦૦૦]
  • આદિપુરાણ. [મહાપુરાણનો શરુઆતનો ભાગ]
  • પાર્શ્વાભ્યુદય.
 
૪૦. શ્રી ઉગ્રાદિત્ય આચાર્ય ઈ.સ.નવમી શતાબ્દિ પૂર્વ વિ.સં. નવમી શતાબ્દિ ઉત્તરાર્ધ
  • કલ્યાણકારક (વૈદ્યક ગ્રંથ- ૨૫૦૦ શ્લોક)
  • (ગુરુ : શ્રીનંદિ.)
૪૧. શ્રી રામસિંહ ઈ.સ. ૮૪૩-૯૪૩ વિ.સં. ૯૦૧-૧૦૦૦
  • દોહાપાહુડ
 
૪૨. શ્રી અનંતકિર્તી આચાર્ય ઈ.સ.૯ મી શતાબ્દિ ઉત્તરાર્ધ. વિ.સં.૧૦ મી શતાબ્દિ પૂર્વાર્ધ.
  • બૄહદ્‍ સર્વજ્ઞસિદ્ધિ.
  • લઘુ સર્વજ્ઞસિદ્ધિ.
૪૩. શ્રી ગુણભદ્રાચાર્ય ઈ.સ. ૮૭૦-૯૦૦ વિ.સં.૯૨૭-૯૫૭
  • આદિપુરાણ [૪૩ સર્ગથી અંત સુધી] (ગુરુ જિનસેન સ્વામી રચિત અધૂરો ગ્રંથ પુર્ણ કર્યો.)
  • ઉત્તરપુરાણ
  • આત્માનુશાસન
  • જિનદત્ત ચરિત.
 
૪૪. શ્રી અમૃતચંદ્રાચાર્ય ઈ.સ. ૯૦૫-૯૫૫ વિ.સં. ૯૬૨-૧૦૧૨
  • શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય.
  • તત્વાર્થસાર.
  • લઘુતત્વસ્ફોટ [શક્તિ -મણિત કોશ.]
  • આત્મખ્યાતિ - સમયસાર ટીકા.
  • તાત્પર્યદીપિકા - પ્રવચનસાર ટીકા.
  • સમયવ્યાખ્યા - પંચાસ્તિકાય ટીકા.
 
૪૫. શ્રી તુમ્બલૂટ ઈ.સ.૧૦મી શતાબ્દિ પહેલાં (અનુમાનિત)
  • ષટખંડાગમના પ્રથમ પાંચ ખંડ પર ટીકા.
  • કષાયપ્રાભૃત-ટીકા.
૪૬. શ્રી અમિતગતિ આચાર્ય- (૧) ઈ.સ. ૯૨૩-૯૬૩ વિ.સં. ૯૮૦-૧૦૨૦  
૪૭. શ્રી હરિષેણાચાર્ય ઈ.સ.દશમી શતાબ્દિ વિ.સં. દશમી શતાબ્દિ અંતે
  • બૃહત્‍ કથાકોષ.
 
૪૮. શ્રી દેવસેન ઈ.સ. ૯૩૩-૯૫૫ વિ.સં. ૯૯૦-૧૦૧૨
  • દર્શનસાર.
  • તત્વસાર.
  • ભાવસંગ્રહ.
  • લઘુનયચક.
  • આલાપ પદ્ધતિ.
  • આરાધના સાર.
 
૪૯. શ્રી ઈન્દ્રનંદિ આચાર્ય ઈ.સ. દશમી શતાબ્દિ વિ.સં. દશમી શતાબ્દિ અંતે.
  • શ્રૂતાવતાર.
  • જ્વાલામાલિની કલ્પ.
  • શિક્ષાગુરુ : અભયનંદિ.
૫૦. શ્રી અભયનંદિ આચાર્ય ઈ.સ. ૯૪૩-૯૯૩ વિ.સ. ૧૦૦૦-૧૦૫૦.
  • તત્વાર્થવૃત્તિ [તત્વાર્થસૂત્ર-ટીકા]
  • કર્મપ્રકૃતિ રહસ્ય.
 
૫૧. શ્રી સોમદેવ આચાર્ય ઈ.સ. ૯૪૩-૯૯૮ વિ.સં. ૧૦૦૦-૧૦૫૫
  • નીતિ વાક્યામૃત
  • યશસ્તિલક ચંપૂ (વિ.સં.૧૦૧૬)
  • અધ્યાત્મ તરંગિણી.
 
૫૨. શ્રી વીરનંદિ આચાર્ય ઈ.સ. ૯૫૦-૯૯૯ વિ.સં. ૧૦૦૭-૧૦૫૬
  • ચંદ્રપ્રભ ચરિત
  • ગુરુ : અભયનંદિ
૫૩. શ્રી પ્રભાચંદ્ર આચાર્ય ઈ.સ.૯૫૦-૧૦૨૦ વિ.સં.૧૦૦૭-૧૦૭૭
  • ચંદ્રપ્રભ ચરિત
  • પ્રમેયકમલમાર્તંડ. [પરિક્ષામુખ- વ્યાખ્યા.]
  • ન્યાય કુમુદચંદ્ર. [લધિયસ્ત્રય-વ્યાખ્યા]
  • રત્નકરંડશ્રાવકાચાર - ટીકા.
  • સમાધિતંત્ર ટીકા.
  • ક્રિયાકલાપ ટીકા.
  • આત્માનુશાસન તિલક. (આત્માનુશાસન ટીકા.)
  • પ્રવચનસાર- સરોજ ભાસ્કર. (પ્રવચનસાર- વ્યાખ્યા.)
  • તત્વાર્થવૃત્તિ પદ વિવરણ (સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા.)
  • ગંધકથા કોષ (સ્વતંત્ર રચના.)
  • શબ્દામ્ભોજ ભાસ્કર. (જૈનેંદ્ર વ્યાકરણ વ્યાખ્યા.)
  • મહાપુરાણ ટીપ્પણ.
  • શાક્યયન ન્યાસ. (શાક્યયન વ્યાકરણ વ્યાખ્યા.)
૫૪. શ્રી મહાસેનાચાર્ય ઈ.સ.દશમી શતાબ્દિ ઉત્તરાર્ધ વિ.સં.૧૧મી શતાબ્દિ પૂર્વાર્ધ
  • પ્રદ્યુમ્ન ચરિત.
૫૫. શ્રી માધવચંદ્ર ત્રૈવિદ્ય ઈ.સ.૯૭૫-૧૦૦૦ (આશરે.) વિ.સં.૧૦૩૨-૧૦૫૭
  • ત્રિલોકસાર-ટીકા.
  • ગુરુ : શ્રી નેમિચંદ્ર સિ.ચક્રવર્તી
૫૬. પદ્મનંદિ સૈદ્ધાંતિક (પ્રથમ) ઈ.સ. ૯૭૭-૧૦૪૩ વિ.સં. ૧૦૩૪-૧૧૦૦
  • જંબુદીવ પણ્ણતિ
  • ધમ્મ રસાયણ
  • પંચસંગ્રહ
 
૫૭. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ઈ.સ. દશમી શતાબ્દિના અંતે વિ.સં. અગીયારમી શતાબ્દિ.
  • ગોમ્મટસાર (રચનાકાળ વિ.સં. ૧૦૩૭-૧૦૪૦)
  • ત્રિલોકસાર
  • લબ્ધિસાર
  • ક્ષપણાસાર
  • ગુરુ : અભયનંદિ
૫૭. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ઈ.સ. દશમી શતાબ્દિના અંતે વિ.સં. અગીયારમી શતાબ્દિ.
  • ગોમ્મટસાર (રચનાકાળ વિ.સં. ૧૦૩૭-૧૦૪૦)
  • ત્રિલોકસાર
  • લબ્ધિસાર
  • ક્ષપણાસાર
  • ગુરુ : અભયનંદિ
૫૮. શ્રી અમિતગતિ આચાર્ય (૨) ઈ.સ.૯૮૩-૧૦૨૩ વિ.સં.૧૦૪૦-૧૦૮૦
  • સુભાષિત રત્નસંદોહ.
  • ધર્મપરીક્ષા.
  • ભાવના દ્યાત્રિંશતિકા.
  • પંચસંગ્રહ.
  • ઉપાસકાચાર.
  • સામાયિક પાઠ.
 
૫૯. શ્રી ઈન્દ્રનંદિ આચાર્ય (૨) ઈ.સ.૧૦ મી શતાબ્દિ ઉત્તરાર્ધ / ૧૧મી શતાબ્દિ પૂર્વાર્ધ. વિ.સં.૧૧મી શતાબ્દિ ઉત્તરાર્ધ / ૧૨મી શતાબ્દિ પૂર્વાર્ધ.
  • છેદપિંડ [પ્રાયશ્ચિત શાસ્ત્ર.]
૬૦. શ્રી નયનંદિ આચાર્ય ઈ.સ. ૯૯૩-૧૦૫૦ વિ.સં. ૧૦૫૦-૧૧૦૭
  • સુદંસણ ચરિઉ (વિ.સં.૧૧૦૦)
  • સયલ વિહિવિહાણ -કાવ્ય.
૬૧. શ્રી જયસેનાચાર્ય - (૪) ઈ.સ.૯૯૮ વિ.સં.૧૦૫૫
  • ધર્મ રત્નાકાર - (વિ.સં.૧૦૫૫ માં પૂર્ણ થયો.)
  • ગુરુ : ભાવસેન
૬૨. શ્રી માણિક્યનંદિ આચાર્ય ઈ.સ. ૧૦૦૩-૧૦૨૮ વિ.સં. ૧૦૬૦-૧૦૮૫
  • પરીક્ષા મુખ.
૬૩. શ્રી શુભચંદ્રાચાર્ય (૧) ઈ.સ. ૧૦૦૩-૧૦૬૮ વિ.સં. ૧૦૬૦-૧૧૨૫  
૬૪. શ્રી વાદિરાજ આચાર્ય ઈ.સ.૧૦૧૦-૧૦૬૫ વિ.સ.૧૦૬૭-૧૧૨૨
  • એકિભાવ સ્તોત્ર
  • પાર્શ્વનાથ ચરિત (વિ.સં.૧૦૮૨ માં પૂર્ણ)
  • ન્યાયવિનિશ્ચય- વિવરણ.
  • પ્રમાણ નિર્ણય.
  • યશોધર ચરિત.
૬૫. શ્રી બ્રહ્મદેવસૂરી [ઈ.સ. ૧૦૧૩ -૧૦૫૩] વિ.સં.૧૦૭૦-૧૧૧૦
  • બૃહદ દ્રવ્યસંગ્રહ-ટીકા.
  • પરમાત્મપ્રકાશ-ટીકા.
  • તત્વદીપિકા – પ્રતિષ્ઠા તિલક.
  • કથા કોષ.
 
૬૬. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ (૩) ઈ.સ.૧૦૧૮-૧૦૬૮ વિ.સં.૧૦૭૫-૧૧૨૫  
૬૭. શ્રી મલ્લિષેણ આચાર્ય -(૧) ઈ.સ.૧૦૪૭ ૧૧મી શતાબ્દિની મધ્યમાં વિ.સં.૧૧૦૪ ૧૨મી શતાબ્દિ પૂર્વાર્ધ
  • મહાપુરાણ.
  • નાગકુમાર કાવ્ય.
૬૮. શ્રી વસુનંદિ આચાર્ય ઈ.સ. ૧૦૬૮-૧૧૧૮ વિ.સં. ૧૧૨૫-૧૧૭૫
  • પ્રતિષ્ઠાસાર સંગ્રહ
  • ઉપાસકાચાર (ઉપાસકાધ્યયન)
  • આચારવૃત્તિ - મૂલાચારની ટીકા.
 
૬૯. શ્રી પદ્મનંદિ આચાર્ય (૫) ઈ.સ. ૧૧મી શતાબ્દિ ઉત્તરાર્ધ. વિ.સં.૧૨મી શતાબ્દિ પૂર્વાર્ધ.  
૭૦. શ્રી રામસેન મુનિ ઈ.સ.૧૧મી શતાબ્દિ ઉત્તરાર્ધ વિ.સં.૧૨મી શતાબ્દિ પુર્વાર્ધ
  • દિક્ષાગુરુ : શ્રી નાગસેન
૭૧. શ્રી જયસેનાચાર્ય -(૫) ઈ.સ.૧૧મી શતાબ્દિ ઉત્તરાર્ધ / ૧૨મી શતાબ્દિના પૂર્વાર્ધ. વિ.સં.૧૨મી શતાબ્દિ
  • ગુરૂ : સોમસેન
૭૨. શ્રી નરેન્દ્રસેન આચાર્ય ઈ.સ. ૧૧મી શતાબ્દિના અંતે વિ.સં. ૧૨મી શતાબ્દિના મધ્યમાં
  • સિદ્ધાંતસાર સંગ્રહ.
 
૭૩. શ્રી બાલચંદ્ર(૧) ઈ.સ.૧૨મી શતાબ્દિ શરુઆત વિ.સં.૧૨મી શતાબ્દિ ઉત્તરાર્ધ.
  • સમયસાર ટીકા
  • પ્રવચનસાર ટીકા
  • પંચાસ્તિકાય ટીકા
૭૪. શ્રી વીરનંદિ સિદ્ધાંત ચક્રવર્તી. ઈ.સ. ૧૧૩૦-૧૧૯૦ આશરે વિ.સં.૧૧૮૭-૧૨૮૭
  • આચારસાર
  • ગુરુ : મેધચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી.
૭૫. શ્રી અનંતવીર્ય (લઘુ) ઈ.સ.૧૧મી શતાબ્દિ મધ્ય વિ.સં.૧૨મી શતાબ્દિ ઉત્તરાર્ધ.
  • પ્રમેય રત્નમાલા.
 
૭૬. શ્રી પદ્મપ્રભ મલધારિદેવ ઈ.સ.૧૨મી શતાબ્દિ મધ્યભાગ વિ.સં.૧૩મી શતાબ્દિ પૂર્વાર્ધ
  • તાત્પર્યવૃત્તિ - નિયમસાર ટીકા.
  • પાર્શ્વનાથ સ્તોત્ર.[લક્ષ્મી સ્તોત્ર.]
  • ગુરુ : વીરનંદિ સિદ્ધાંત ચક્રવર્તી.
૭૭. શ્રી ભાવસેન આચાર્ય (ત્રૈવિદ્ય.) ઈ.સ.૧૩મી શતાબ્દિ. વિ.સં. ૧૩મી શતાબ્દિ મધ્યમાં
  • પ્રમાપ્રમેય.
  • કાતંત્રરુપમાલા.
  • ભુક્તિ-મુક્તિ વિચાર.
  • વિશ્વતત્વપ્રકાશ.
૭૮. શ્રી અભયચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. ઈ.સ.૧૨૪૯-૧૨૭૯ વિ.સં.૧૩૦૬-૧૩૩૬
  • મંદ પ્રબોધિની [ગોમ્મટસાર ટીકા]
  • કર્મ પ્રકૄતિ.
૭૯. શ્રી બાલચંદ્ર સૈદ્ધાંતિક.(૨) ઈ.સ.૧૩મી શતાબ્દિ વિ.સં.૧૪મી શતાબ્દિ
  • દ્રવ્યસંગ્રહ ટીકા
  • [ગુરુ : અભયચંદ્ર]
૮૦. શ્રી શ્રુત મુનિ ઈ.સ.૧૩મી શતાબ્દિના અંત વિ.સં.૧૪મી શતાબ્દિ ઉત્તરાર્ધ
  • પરમાગમસાર.
  • આસ્રવત્રિભંગી.
  • ભાવત્રિભંગી.
  • [દિક્ષાગુરુ : અભયચંદ્ર]
    [અણુવ્રતગુરુ : બાલચંદ્ર સૈદ્ધાંતિક.]
૮૧. શ્રી ભાસ્કરનંદિ ઈ.સ.૧૩મી શતાબ્દિના અંતે વિ.સં.૧૪મી શતાબ્દિના મધ્યમાં
  • ધ્યાનસ્તવ -તત્વાર્થસૂત્રવૃત્તિ - સુખસુબોધ ટીકા.